નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

શનિવાર, 23 ફેબ્રુઆરી, 2013

પ્રજ્ઞાગીત


 બનીએ પ્રજ્ઞાવાન 
આપણે બનીએ પ્રજ્ઞાવાન
              પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
               વિકસતું રહે જ્ઞાન .....(2)
              આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
               સૌ સંગાથે વધીએ આગળ
               એ જ ખરું અનુષ્ઠાન ....(2)
               આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
              જેની પાસે શિક્ષણ સાચું
               એ જ ખરાં ધનવાન ...(2)
               આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
      દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
      એ જ ખરાં બળવાન ...(2)
      આપણે બનીએ પ્રજ્ઞાવાન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો